વાહ દલવાડી વાહ
ભોળા જેની ભાવના, ભલમનશાહીના ભારા
અભિમાન ઉરમાં નહીં ,સૌના બને સતવારા
જીભથી આખું જગત જીત્યું, કર્મ થકી કિરતારા
વેરીને પણ વસમી વેળા સાથ આપે સતવારા
શંકર કેરા સેવક સાચા ,પ્રેમમંત્ર પઢ્નારા
મીઠપ માના દૂધમાં પીધી ,વાણી એ વદનારા
પરમાર્થમાં પગલાં ભરતા ,મુખ કરે મલકારા
મરે પણ એ સત ના મૂકે ,નામ એનું સતવારા
મહેનત ગણતાં સગી જનેતા, પરસેવો પાડનારા
સદા સંતોષી આતમ એનો ,થોડે ઘણું માનનારા
અનીતિને અળગી મૂકી ,નીતિ એ ડગ ભરનારા
માયાળુને મનના મોટા ,નામ એનું સતવારા
ગંગા વહેતી ધર્મ કાર્યની ,ધામ ચારે ફરનારા
આનંદ ઉત્સવ હોય હમેશા જમાડી ને જમનારા
કથા કીર્તન દેવ મંદિરે હરી ભજન કરનારા
" જીગા " નિરખીલે નારાયણ ને ,નામ એનું સતવારા
અભિમાન ઉરમાં નહીં ,સૌના બને સતવારા
જીભથી આખું જગત જીત્યું, કર્મ થકી કિરતારા
વેરીને પણ વસમી વેળા સાથ આપે સતવારા
શંકર કેરા સેવક સાચા ,પ્રેમમંત્ર પઢ્નારા
મીઠપ માના દૂધમાં પીધી ,વાણી એ વદનારા
પરમાર્થમાં પગલાં ભરતા ,મુખ કરે મલકારા
મરે પણ એ સત ના મૂકે ,નામ એનું સતવારા
મહેનત ગણતાં સગી જનેતા, પરસેવો પાડનારા
સદા સંતોષી આતમ એનો ,થોડે ઘણું માનનારા
અનીતિને અળગી મૂકી ,નીતિ એ ડગ ભરનારા
માયાળુને મનના મોટા ,નામ એનું સતવારા
ગંગા વહેતી ધર્મ કાર્યની ,ધામ ચારે ફરનારા
આનંદ ઉત્સવ હોય હમેશા જમાડી ને જમનારા
કથા કીર્તન દેવ મંદિરે હરી ભજન કરનારા
" જીગા " નિરખીલે નારાયણ ને ,નામ એનું સતવારા
Comments
Post a Comment