રામાયણ માં મંથરા નુ પાત્ર...
કવિ શ્રી કાગ એમ લખે છે કે "ઋષી વિસ્વામીત્ર એ જેના જોયા હતા સઘળા જોષ તોય સીતા એ જીવન માં સંતોષ કદી ન ભાળ્યો કાગડા"|| પણ કહેવાય છે કે ભગવાન રામ જયારે અવધ માંથી વન તરફ જવા ધીરે ધીરે ડગલા માંડયા ત્યારે માં જાનકી હારે તૈયાર થાય છે એ તો એક ઇતિહાસ પ્રદ વાત છે એ તુલસીદાસ મહાત્માં એ પણ લખ્યુ છે અનેક મહાનુભાવો એ પણ લખ્યુ છે. પણ મારે આજ ઇ વાત કરવી છે કે ચારણો એ જે કલ્પના કરી છે અને રામાયણ ના અમુક પાત્રો ને જે અન્યાય થયો છે એની તર્કબધ્ધ ચારણો જે વાત કરી છે એના બે ત્રણ પ્રસંગ ની વાત કરવી છે એમાં એક પાત્ર મંથરા છે. મંથરા જો અપવિત્ર હોય્,પાપી હોય ,કપટી હોય તો પેલા દ્શરથ ના દરબાર માં કૈકય ની દાસી તરીકે જ ના હોય .દશરથ નો દરબાર કે જેની ઇન્દ્ર પણ આશા કરે,જગત ના નાથ ને જેના ગળે અવતરવાનુ મન થાય એવા દરબાર ગઢ માં કોઇ દી અપવીત્ર,કપટી,પાપી દાસી ન હોય શકે.બીજી વાત ઇ કે રામે પોતાના સ્વમુખે કહેલુ છે કે સંસાર નો કોઇ પણ જીવ એક સેકન્ડ માટે મારી સન્મુખ થાય એટલે મારી દ્ર્ષ્ટી પડે એટલે એના કરોડો જન્મ ના પાપ બળી ને ભષ્મ થઇ જાય તો પછી મંથરા એ તો હજાર વખત રામ નુ મોઢુ જોયુ હસે તો તેના